Wednesday, February 9, 2011

યમુના જળમાં કેસર ઘોળી


યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં
તેલ સુગંધીવાળું નાખું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

કુમ કુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વા'લમા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હસતી જાઉં વાતે વાતે નાચી ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદીરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વા'લમાં
કાનોમાં કુંડળ કંઠે માળા ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો ચરણે શામળા હો રાખો ચરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

                 વાંકે અંબોડે

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ

પાઘ બાંધે વાલો જરકશી ને સુંદર વાઘા સાર
પટકા છે તે પંચરંગના સજીયા તે સોળે શૃંગાર

કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ

બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયાં ટાઢાં થાય

પાયે ઘૂઘરી રણઝણે મોજડીએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું માંગ્યું આપો મહારાજ
લળી લળીને કરું વિનંતિ મુને દેજો વ્રજમાં વાસ

           રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી   ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને  કાંઠે  રમતા  રંગીલા શ્રીનાથજી

રંગીલા   શ્રીનાથજી    અલબેલા શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી

મધુવનમાં   શ્રીનાથજી    કુંજનમાં શ્રીનાથજી
વૃંદાવનમાં  રાસે   રમતા  રંગીલા શ્રીનાથજી

નંદગામ   શ્રીનાથજી    બરસાને શ્રીનાથજી
કામવનમાં  ક્રીડા  કરતાં  રંગીલા શ્રીનાથજી

દાનગઢ    શ્રીનાથજી    માનગઢ શ્રીનાથજી
સાંકડીખોરે  ગોરસ  ખાતા રંગીલા શ્રીનાથજી

સંકેતમાં   શ્રીનાથજી   વનવનમાં શ્રીનાથજી
ગહવરવનમાં  રાસે રમતા રંગીલા શ્રીનાથજી

ગોવર્ધનમાં   શ્રીનાથજી   મારગમાં શ્રીનાથજી
માનસીગંગામાં મનને હરતા રંગીલા શ્રીનાથજી

રાધાકુંડ    શ્રીનાથજી      કૃષ્ણકુંડ શ્રીનાથજી
ચંદસરોવર   ચોકે   રમતા રંગીલા શ્રીનાથજી

વૃક્ષ  વૃક્ષ  શ્રીનાથજી   ડાળ  ડાળ શ્રીનાથજી
પત્ર પત્ર ને પુષ્મે  રમતા  રંગીલા શ્રીનાથજી

આન્યોરમાં  શ્રીનાથજી  ગોવિંદકુંડ શ્રીનાથજી
અપ્સરાકુંડે  આનંદ  કરતા રંગીલા શ્રીનાથજી

ગલી ગલી   શ્રીનાથજી   કુંજ કુંજ શ્રીનાથજી
સુરભિ કુંડે  સ્નાન  કરંતા  રંગીલા શ્રીનાથજી

મંદિરમાં  શ્રીનાથજી  પર્વત પર શ્રીનાથજી
જતીપુરામાં પ્રકટ બિરાજે રંગીલા શ્રીનાથજી

બિછુવનમાં શ્રીનાથજી  કુસુમખોર શ્રીનાથજી
શ્યામઢાંકમાં છાછ આરોગે  રંગીલા શ્રીનાથજી

રુદ્રકુંડ     શ્રીનાથજી     હરજીકુંડ શ્રીનાથજી
કદમખંડીમાં ક્રીડા  કરતા  રંગીલા શ્રીનાથજી

ગામ ગામ  શ્રીનાથજી  ઠામ ઠામ શ્રીનાથજી
ગુલાલ કુંડે  હોળી  રમતા  રંગીલા શ્રીનાથજી

નવલકુંડ    શ્રીનાથજી    રમણકુંડ શ્રીનાથજી
વ્રજવાસીના વહાલા બોલો  રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી    ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને   કાંઠે  રમતા   રંગીલા શ્રીનાથજી

જય વાળી નાથ ! જય વડવાળા દેવ ! બાપજી સીતારામ ! ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !


આપણા સમાજ વિષે વિશેષ જાણીએ..........
     આગવો રાહ ચિતરનાર આ સમાજ છે. આ સમાજ ના જેટલા ગુણગાન ગાઇએ એટલાં ઓછાં છે. અન્ય સમાજો એ આ સમાજ પાસે થી ઘણું શીખી અને મેળવ્યું છે. હિંદુ સમાજ માં અરે હવે તો મુસ્લિમ સમાજ માં પણ સમુહ લગ્ન નો વિચાર આપણે તો આપ્યો છે. અરે ભાઇ ! આપણા માં એક કહેવત છે કે “ હતું એનું ગયું અને નહોતું એનું થયું “ રબારી સમાજ માં એકતા, ભાઈચારો, એક-બીજા ની આબરું સાચવવી તથા અરસ પરસ એક બીજાનું ઢાંકણ થવા ની ઉત્તમ ભાવના હતી. એક જ માંડવે ૧૦૦-૧૦૦ જાનો આવી હોય અને એવા માંડવે વિવાહ મહાલ્યા હોય તેવા મુછાળા એમના જમાના ના નરબંકા આપણા ઘૈઢિયા હજુ પણ આપણી વચ્ચે જ છે ને ? આવો હજુ પણ જુના જમાના ની જે સારી બાબતો હતી અને હાલ આધુનિકતા ની આંધળી દોટ ના કારણે જે વિસરાઇ ગઇ છે તે ને પુન: સ્થાપિત કરવા તેઓની પાસે પ્રેરણા લઇએ, હજુ પણ સમય છે. માવતર ની સેવા એજ આપણો પરમ ધર્મ છે એવા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો હજુ આપણા લોહીમાં છે. અને એટલે જ  આપણા પૂર્વજો ના પુણ્ય પ્રતાપે, આ સમાજ માં, હજુ આવા હળાહળ કળિયુગ માં પણ બેટા ના ઘરે જ તેઓનો લાડલો બેટો પોતાના માવતર ની સેવા કરે છે ! આપણા માવતર ની સેવા માટે બેટા નું ઘર (ઘરડા ઘર) સુમ સામ વગડા વચ્ચે નથી. આપણા માવતર તો તેમના સંતાનો ની કિલ્લોલ અને કલરવ વચ્ચે ખુબ જ સુખમય અને આનંદ મય જીવન પસાર કરે જ છે ને ! અને આથી જ અંતકાળે પણ તેઓ તેઓની લીલી-વાડી વચ્ચે તેઓ ના સંતાનો ને તથા સગાસ્નેહિઓ રુપ સમાજને પણ અંતરના આશિષ દેતા પરમપિતા પરમાત્મા ના દરબાર માં તેઓ ના શુભ કર્મો સાથે જાય છે. આવા આપણા માવતરોએ તેમના પૂર્વજોની આપણા કરતાં પણ વિશેષ સેવા કરેલી જ છે. એટલે તો તેના પુણ્ય પ્રતાપે તેઓ ની સેવા માટે ના આ સંસ્કારો આપણને તેઓના દ્વારા જ મળ્યા છે ને ? હજુ આપણે તે પુણ્ય પરવાર્યા નથી.
             સમુહ લગ્ન ના રિવાજ થી આખો રબારી સમાજ એકબીજા થી પરિચિત રહેતો. એક બીજાના ખબર અંતર પૂછી સુખ દુખ માં એક બીજા ને મદદરૂપ થતો. અને વળી આખો સમાજ એક છત્ર નીચે ભેગો થવા થી જાણે ન્યાત ગંગા નો મેળો રચાયો હોય તેવું વાતાવરણ રહેતું. પવિત્ર વિહોતર ના મેળાવડા માં ભગવાન ની હાજરી હોય જ એ સ્વાભાવિક છે. આમ આખી વિહોતરની સાક્ષીએ, વિહોતર ના આશીર્વાદ સાથે જે નવ દંપતી સંસાર રૂપી રથમાં સવાર થતાં હોય તેના સંસાર ની બાગડોર ભગવાન જ સંભાળી લે ને ? અને એટલે જ ભૌતિક સુખ સગવડો ઓછી હોવા છતાં ગાયો તથા માલઢોર લઇ છેક મારવાડ, મેવાડ, સિંધ, અરે ! છેક ગંગા ની શેર (ગંગા યમુના નાં મેદાનો ના પ્રદેશો)સુધી આપણા પૂર્વજો પરદેશ ખેડતા.  આમ ઘણી જ તકલીફો વાળું જીવન હોવા છતાં એક બીજાને અનુરૂપ થઇ સૌ આનંદ થી સુખ રુપ રહેતા. માતાઓ ની તો વાત જ શું કરવી. તેઓ તો કોઇ પણ કામ ને આપણી આજની આધુનિક બહેનો ની જેમ વેઠ થોડી ગણતી હતી ? અત્યારે મોટા ભાગે બહેનો વચ્ચે ઘરોમાં કામની બાબતે જ તો કંકાસ થતા હોય છે ને ? વહેલા પરોઢિયે ઊઠવું , પોતાના કુટુંબ ના તમામ સભ્યો માટે દરરોજ પાંચ શેર કે દશ શેર જરૂરિયાત મુજબ દળણું દળવું. અનાજ દળવાની સાથે જાણે ભગવાને પોતાના કુટુંબ ની સેવા માટે તેમને  મોકો આપ્યો છે એમ માની પ્રભુ ના સ્મરણ રુપ વહેલા પરોઢે ઘંટુલા ના સુરે કોકિલ કંઠે પ્રભાતિયાં ની મીઠાસ નો રશ તે ઘંટી ના આટામાં ભેળવી દેતી. અને તે અમૃત રસ સભર અન્ન ખાઇ કુટુંબ ના તમામ સભ્યો ખુબજ હૃષ્ટપુષ્ટ , ખડતલ અને નીરોગી રહેતા. અનાજ દળ્યા બાદ માલ ઢોર ને દોહવાં ,દૂધ થાળે પાડવું, વલોણું કરવું, માથે હેલ મુકી પાણી ભરી લાવવું અને આ કામ પરવારી પાછું શિરામણ ( ઘેંશ-છાસ-દૂધ કે રાત ના વધેલા રોટલા નો નાસ્તો) માટેની તૈયારી કરવી. ઘરના તમામ સભ્યો ને શિરામણ આપી ગવાંતી માટે ભાતું તૈયાર કરવું. ગવાંતી પોતાનો માલ લઇ વગડો ખુંદવા જાય ત્યાર બાદ ઘરનાં અન્ય તમામ બાકી કામ જેવાં કે ભરત, ગૂંથણ, સીવણ વગેરે તે આવે ત્યાં સુધી કરવાં અને ફરી પાછું દોહવું, બાંધવું તથા દિવસ નાં બાકી કામ પરવારી વાળું પાણી કરી બાઇઓ ભેગી થઇ “પરભુજી વનમાં ચારે ગાયો...... જેણી વગાડે વાંસળી રે લોલ.... “ તાલ બધ્ધ રીતે બે-પાંચ ગાઉ સુધી વગર લાઉડ સ્પીકરે સંભળાય તેવા ઊંચા રબારવા સાદે ગાણાં ગાય. અને વળી સારા ભલા પ્રસંગોએ ગવાતા શાસ્ત્રી ગાણાં ની તો વાત જ શી કરવી ? પાંચ સાત બાઈઓ એકબીજા ના ખભે હાથ રાખી જ્યારે લાંબા લાંબા સામવેદિય શાસ્ત્રીય સ્વરોમાં ગાણાં ગાતી હોય ત્યારે તો અનોખું વાતાવરણ સર્જાતું. ખરેખર હજુ આ સમાજ માં વૃદ્ધ કાકીઓ અને દાદીઓ ની હયાતી છે ત્યાં સુધી હાલ ગવાતાં વરણાગી ગાંણાં ની જગ્યાએ આપણી બહેનો જુનાં સાસ્ત્રી ગાણાં શિખી લે તો આ સમાજની પુરાતન સંસ્કૃતિ ને બચાવવાનો ખુબ ઉપકાર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા દશ મા અધ્યાય ના ૨૨ મા શ્લોકમાં જ કહ્યું છે કે   “


                              વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવ:                               ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના !! “
અર્થાત્, હે અર્જુન ! “વેદોમાં હું સામવેદ અર્થાત્ પૂર્ણ સમત્વ આપનાર ગાન (સંગીત) છું. દેવો માં હું તેમનો અધિપતિ ઈન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં હું મન છું ; કારણ કે મનના નિગ્રહ થી તો હું જાણી શકાઉં છું. તથા પ્રાણીઓ માં હું ચેતના છું. “ ભાઈઓ ! મારા વ્હાલા પ્રભુ ના પ્રેમિયો ! તમને  તમારી પરંપરા જાણીને આશ્ચર્ય ઉપજે તેવી એક વાત છે... ચારે વેદો ના વિશ્વ પ્રસિધ્ધ આર્ષ ભાષ્યકાર પંડિત વિષ્ણુ પ્રસાદ સાંકળેશ્વર વેદોના ભાષ્ય વખતે રબારી સમાજ ની ખાસ નોંધ લઇ ખુબજ હર્ષથી લખે છે કે “ આજે ભગવાન કૃષ્ણ ના અવતાર ને આસરે પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી પણ વેદો ના બિજ સ્વરુપ એવા સામવેદ ના ગાન ને કંઇક અંશે જાળવી રાખ્યું હોય તો તે કહેવાતો અભણ, વગડે વગડે પોતાના પશુધન સાથે જીવનનો સંઘર્ષ ખેલતો,અત્યંત ભોળો એવો રબારી સમાજ છે. આ સમાજ પોતાના પશુધન સાથે જ્યારે વગડા વચ્ચે ડેરો નાખી રાત ના સમયે પોતાની ઈષ્ટદેવી મા... ને એક વિહ્વળ બાળક ની જેમ રેંડી, રેંગડી કે સરજુ ( મા ના વિયોગે જેમ બાળક આર્તનાદ કરે તેવું રુદન) દ્વારા પોતાની વ્હાર કરવા પોકારતો હોય, ત્યારે અને આ સમાજની સ્ત્રીઓ જ્યારે આનંદ કે શુભ અવસરે  ગાણાં ગાતી હોય કે પછી મૃત્યું જેવા અશુભ પ્રસંગે જ્યારે રુદન કરતી હોય ત્યારે લાંબા લાંબા સ્વરે રબારી સિવાય ની અન્ય જ્ઞાતી નો કોઇ માણસ ન સમજી શકે તેવા આલાપો માં સામવેદ ના ગાન સ્વરો સચવાઇ રહ્યા છે. “ રબારી સમાજ માટે આનાથી વિષેશ ગૌરવવંતી બાબત ક ઇ હોઇ શકે ?  
         આપણા પૂર્વજો જે ખુમારી ભર્યું ઉલ્લાસમય અને આપણ ને પણ ગૌરવ ઉપજે તેવું જીવન જીવી ગયા તેના મુળમાં આપની જુની લગ્ન સંસ્કૃતિ હતી. જેને આખી વિહોતરના આશીર્વાદ હતા. આવો ! જ્યારે આપણા જુના રીવાજ ના ચિલે આજના અન્ય પ્રગતીશીલ સમાજો ચાલવા માંડ્યા છે ત્યારે આપણે આપણા પૂર્વજો નો તે ચિલો ચાલું રાખી તેઓનું સાચા અર્થમાં તર્પણ કરીએ. આ સમાજ ના શ્રેષ્ઠિઓ પોતાની દિકરીઓ ને આવા સમુહ લગ્નો માં જ પરણાવી, પોતે શ્રેષ્ઠ હોઇ, સમાજ માં ઉદાહરણ રુપ બને. ઈશ્વરકૃપા એ તેમની પાસે વધારે ધન હોય તો આવા સમૂહલગ્ન યોજનાર સેવાભાવી સમાજ સેવકો નું ટ્રસ્ટ રચી તેમાં મુક્તમને દાન કરી, કરાવી દરેક પરગણાના તાલુકા મથકે અથવા સમાજ નક્કી કરે તેવાં સૌને અનુકૂળ આવે તે સ્થળોએ સમૂહલગ્ન રૂપી યજ્ઞો નું આયોજન કરીએ. અને તેમાં આપણી સેવા ની આહુતી આપીએ.....

The God Of Rabari Samaj


Jay Valinath.
Jay Valinath !!
Jay Vadwala !!
Jay Goga Maharan !!
Jay Hanuman Dada !!
Jay Melai Maa !!
Jay Mummai Maa !!
Jay Chehar Maa !!
Jay Bahuchar Maa !!
Jay Ban Maa !!
Jay Vihat Maa !!
Jay Jahu Maa !!
Jay Lankhanechi Maa !!
Jay Modheswari Maa !!
Jay Amba Maa !!
Jay Umiya Maa !!
Jay Dashama Maa !!
Jay Khodiya Maa !!
Jay Jogani Maa !!
Jay Mahakali Maa !!
Jay Parvati Maa !!
Jay Sita Maa !!
Jay Ashapura Maa !!
Jay Annapurna Maa !!
Jay Harshidhdh Maa !!
Jay Shitada Maa !!
Jay Chamunda Maa !!
Jay Verai Maa !!
Jay Limbaj Maa !!
Jay Shakti Maa !!
Jay Shiv !!
Jay Bhrama !!
Jay Visnu !!
Jay Badiyabapa !!
Jay Jalarambapa !!
Jay Ramapir !! jay semoj maa
Mari vali vihotar ne rom rom

શ્રી વાળીનાથજી ભગવાનનો થાળ

જમવા આવો વાળીનાથ ભાવે જમાડું રે.... તમારૂ દીધેલું આ દેવ, તમને ધરાવું રે....
સકળ જગતને તમે જમાડો, ભુખ્યા ઉઠાડી ના ભૂખ્યાં સુવાડો.
કીડી ક્ણ, હાથી મણદાતા, પ્રભુ હું શું જમાડું રે.... કે જમવા.... ૧
હદય કમળને આસન માનો, તેમા પ્રભુજી પ્રેમે બીરાજો....
ભાવ ભક્તિનું ભોજન ભાણું, ભાવે ધરાવું રે.... કે જમવા....૨
શાસ્ત્ર તણી વિધિઓ ના જાણું, જ્ઞાની જનોનાં જ્ઞાનના જાણું,
જાણું હૈયા હેત ઉમળકો, પ્રભુ હેતે જમાડું રે.... કે જમવા.....૩
શબરીનાં બોર વિદુરની ભાજી, પ્રેમે આરોગ્યાં મેવા ત્યાગી,
જમજો સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રેમે જમાડુ રે.... કે જમવા આવો વાળીનાથ ભાવે જમાડુ રે.
તમારૂ દીધેલુ ઓ દેવ, તમને જમાડુ રે.... કે જમવા આવો વાળીનાથ ભાવે જમાડુ રે.

શ્રી વાળીનાથજી ભગવાનની આરતી

ૐ જય વાળીનાથા સ્વામી, ૐ જય વાળીનાથા,
મંગલ મૂરતિ રૂપ (૨) સુખ શાન્તીદાતા.... ૐ જય વાળીનાથા....૧
કરૂણાના અંબાર કષ્ટો હર્તા, સ્વામી કષ્ટોના હર્તા,
અશરણ શરણાધાર (૨) મંગલમય ભર્તા.... ૐ જય વાળીનાથા....૨
ત્રિવિધ ધોર અતિતાપ, મૂળ સહિત હર્તા, સ્વામી મૂળ સહિત હર્તા,
અમ્રુત ઢ્રુષ્ટિ કરીને (૨) શીતળતા કર્તા.... ૐ જય વાળીનાથા....૩
પિતા પૂર્ણ પ્રકાશ પરમાત્મા પોતે સ્વામી પરમાત્મા પોતે,
ઘટ ઘટ વ્યાપી આપ (૨) ભક્તોના દુઃખ હર્તા....ૐ જય વાળીનાથા....૪
શરણે આવ્યો બાળ, શરણં દો દેવા સ્વામી શરણ દો દેવા,
ચરણ કમળમાં રાખી (૨) ભવતારો નાથા.... ૐ જય વાળીનાથા....૫
કામ ક્રોધને લોભ પાવકમાં બાળતો સ્વામી પાવકમાં બળતો,
મનના દુષ્ટ વિકારો (૨) દુર કરો ત્રાતા.... ૐ જય વાળીનાથા....૬
શ્રી વાળીનાથની આરતી, શ્રધ્ધા થકી ગાતા.... સ્વામી શ્રધ્ધાથકી ગાતા,
ભણે સચ્ચિદાનંદ (૨) મન નિર્મળ થાતા.... ૐ જય વાળીનાથા....૭

Tuesday, February 8, 2011

JAY GOGA JAY SEMOJ

રબારી સમાજના પરગણા

આજે આપણે આ પોસ્ટ ધ્વારા આપણા સમાજ નાં પરગણા વિશે જાણીશું અને જો બીજે આવે કોઈ મહિતે હોયે તો જરુંર મોકલ્સો.

૧)       ડીહાહોળ

૨)      ચુંવાળ

૩)      પાટણવાળો

૪)      બાવીસી

૫)      કાંકરેજી

૬)      વઢિયાર

૭)      સમાલ

૮)      ધોંધાલ

૯)      દોતોર

૧૦)    મૉડાસીયા

૧૧)    ડંઢાઈ

૧૨)    હવેલી

૧૩)    ચરોતર

૧૪)    ખાખરીયા